• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

12:48 PM June 14, 2022 Admin Share on WhatsApp



હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે. ઘરની અલગ-અલગ દિશામાં હનુમાનદાદાના અલગ-અલગ રૂપના ચિત્રો લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ત્યારે આવો જાણીએ ઘરની કઈ દિશામાં હનુમાનદાદાના કયા સ્વરૂપનું ચિત્ર લગાવવું જોઈએ.

હનુમાનદાદાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસ કેળવાય છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનનો વાર ગણાય છે. આ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને ભગવાન હનુમાનની પૂજા કરે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે કરવામાં આવતી પ્રાર્થના હનુમાનદાદાને પ્રસન્ન કરે છે. અને હનુમાનદાદા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે અને ઘરની અલગ-અલગ દિશામાં તેમના સ્વરૂપના અલગ-અલગ ચિત્રો લગાવવાથી ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકાય છે.

પંચમુખી હનુમાન
ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનની તસવીર લગાવી જોઈએ.. એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનની તસવીર પ્રવેશ દ્વાર પર રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આર્થિક સમસ્યા સહિત જીવનની તમામ સમસ્યાઓનુ થાય છે નિવારણ...

હનુમાનદાદાની તસવીર દક્ષિણ દિશામાં લગાવો
ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનદાદાનો પ્રભાવ દક્ષિણમાં સૌથી વધુ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ભગવાન રામના ચરણોમાં બેસેલા હનુમાનદાદાની તસવીર
હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત હતા. તે હંમેશા ભગવાન રામના ચરણોમાં બેસીને સેવા કરતા હતા. એવું માનવામાં આવે છે કે જો આ તસવીર ઘરના લિવિંગ રૂમમાં લગાવવામાં આવે તો પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવ બની રહે છે.

સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર 
લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની પર્વત ઉપાડીને લાવ્યા હતા. આ દ્રશ્ય શોર્ય અને આત્મવિશ્વાસથી ભરપુર છે.. જે ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ હોય તેવા ઘરોમાં સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર લગાવવાની સલાહ આપવામાં આવે છે.

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની રીત
મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનદાદાને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. ફૂલ, પ્રસાદ અને દીવા પ્રગટાવો. હનુમાન ચાલીસા વાંચો. હનુમાનજીની આરતી કરો. પૂજા કરતી વખતે સફેદ કે કાળા કપડા ન પહેરવા. અને આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો...

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us